કેન્દ્ર સરકારમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં જ 70 હજારથી વધારે પદો પર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. સ્ટાફ સિલેક્શન કમીશને પોતાની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર નોટિસ જાહેર કરીને આ અંગેની જાણકારી આપી છે. જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, અલગ અલગ વિભોગમાં ખાલી પડેલી 70 હજારથી વધારે પદ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેના માટે સત્તાવાર વિસ્તૃત નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે.
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી ૨૦૨૨
સત્તાવાર નોટિસ અનુસાર, ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા પ્રયાસ અંતર્ગત સ્ટાફ સિલેક્શન કમીશન 70,000 એડિશનલ વેકેન્સીઝ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. પરીક્ષા માટે નોટિફિકેશન ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, કમિશનની વેબસાઈટ સમય સમયે વિજિટ કરતા રહેવું.
નોટિસમાં એવી જાણકારી નથી આપી કે, આ ખાલી જગ્યાએ ક્યા પદ પર ભરવામાં આવશે. આ એસએસસીની દર વર્ષે યોજાતી સીઝીએલ અથવા સીએચએસએલ ભરતી માટે છે. અથવા તેના માટે કોઈ અલગ પરીક્ષા આયોજીત થશે. તેની જાણકારી આપવામાં આવી નથી. ભરતી ક્યા સ્તરે થશે, અરજી કરવાની યોગ્યતા શું હશે, ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે, તેની જાણકારી નોટિફિકેશન જાહેર થયા બાદ સામે આવશે. આ દરમિયાન ઉમેદવાર એસએસસી સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવું.
મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
HomePage | Click Here |