Advertisements
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે . • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે
- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મુખ્ય બાબતો
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નો લાભ કોણ કોણ લઈ શકે ?
- સહાય કેવી રીતે મળશે ?
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતાના માપદંડ
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- પંડિત દીનદયાળ આવાસ યોજના મહત્વની લિંક્સ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
રાજ્ય સરકાર દ્વારા આવાસની જરૂરિયાતવાળા અને ઘર બનાવવા માંગતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં 70%નો વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં જે લોકોની આવક વાર્ષિક 1.5 લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક 1.20 લાખ છે તેઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ 2014 માં, આ યોજના હેઠળ, આવાસ સહાય માટે 45,000 રૂપિયા આપવામાં આવ્યા હતા, જે પછી તે રકમ વધારીને 70 હજાર કરવામાં આવી હતી. જેથી હવે રકમ 70 હજારને બદલે 1.20 લાખ કરવામાં આવી છે. રાજ્યના લગભગ 20,000 પરિવારોને આ સહાય આપવામાં આવશે. આમ, SC-ST, OBC સહિતની પ્રજાતિઓને આ લાભ મળશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મુખ્ય બાબતો
યોજનાનું નામ | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઑનલાઇન છેલ્લી તારીખ: 30/06/2022 |
લાભ | રૂ.1,20,000ની મકાન સહાય |
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ
પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2022-23) દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ . હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાય છે તે અરજી ડોક્યુમેન્ટ પુરતાં ના હોય તેને પુરાંત માટે 10 પુર્તતા કરવાની હોય મોકલી આપવાના હોય છે ચકાસણી બાદ સ્થળ તપાસ કર્યા બાદ તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે.
છેલ્લા મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવી મકાનને તકતી માર્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નો લાભ કોણ કોણ લઈ શકે ?
- આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
- લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
- જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
- લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
- જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
- અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
- બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે
સહાય કેવી રીતે મળશે ?
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.
- પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
- બીજો હપ્તો રૂ. 60,000 રૂપિયાનો આપવાં આવશે. આ હપ્તો મકાનનો હપ્તો લેટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
- ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પાત્રતાના માપદંડ
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે .૧,૨૦,૦૦૦ / –
- શહેરી વિસ્તાર માટે રૂ .૧,૫૦,૦૦૦ / – રાખવા ઠરાવેલ છે .
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ .
- જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPL નો દાખલો .
- પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
- આરાજદારનો ફોટો
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
- તમારી સામે હોમ પેજ ખુલશે
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો
પંડિત દીનદયાળ આવાસ યોજના મહત્વની લિંક્સ
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત | અહીં ક્લિક કરો |
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Homepage | Click Here |