પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Awas Yojana 2023 | Pandit Dindayal Awas Yojana 2023-24 ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, અને તેઓ જર્જરિત હાલતમાં છે.તેવા ગરીબ પરિવારોને પોતાનું નવું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ આર્થિક રીતે મદદરૂપ થાય છે.પંડિત દિન દયાલ યોજના વિશે સંપૂર્ણ માહિતી જે તમને પંડિત દીનદયાળ આવાસ યોજનાનાં તમામ સ્ટેપ વિશે જણાવેલ છે. જેમ કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તથા અરજી કરવા માટે ક્યાં દસ્તાવેજ જોઈએ વગેરે તમામ માહિતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
યોજનાનું નામ | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
લાભ | રૂ.1,20,000ની મકાન સહાય |
લાભાર્થી | ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in |
પંડિત દીનદયાળ આવાસ યોજના નો ઉદ્દેશ
ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.
આ યોજનામાં મળશે આ મુખ્ય લાભો
- આ યોજના હેઠળ મળતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- પંડિત દિન દયાળ યોજનામાં લાભાર્થીને 3 હપ્તામાં સહાય આપવામાં આવશે.
- પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે, જે લાભાર્થીને ઘરના ડેમનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
- બીજો હપ્તો 60,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાના મકાનનો હપ્તો લિંટેલ સ્તરે પહોંચતા જ મળશે.
- ત્રીજો અને અંતિમ હપ્તો 20,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
- પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે તમારે અલગથી અરજી કરવાની રહેશે.
- શૌચાલયના નિર્માણ માટે 16920 રૂપિયાની રકમ મનરેગામાંથી અલગથી આપવામાં આવશે.
લભાર્થીની માટેની પાત્રતા
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્ય નો રહેવાસી.
- અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનો કોઈપણ પ્રકાર મકાન હોવું જોઈએ.
- સરકાર દ્વારા આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માંગે છે તોપણ તે આયોજન માટે અરજી કરી શકે છે.
- અરજી કરનાર વ્યક્તિના પરિવારને બીજી કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
- આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- થી વધુ ના હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ.
પંડિત દીન દયાળ આવાસ યોજનાની આ રીતે મળશે સહાય ?
લાભાર્થી ઉમેદવારને કુલ 1,20,000ની સહાય મળવા પાત્ર છે.
- પ્રથમ હપ્તો : રૂ. 40,000નો જે લાભાર્થીના ઘરનું કામ શરુ કરવામાં માટે આપવામાં આવે છે.
- બીજો હપ્તો : રૂ. 60,000નો જે લાભાર્થીનું મકાન લીંટર લેવલે પોગે ત્યારે આપવામાં આવે છે.
- ત્રીજો હપ્તો : રૂ. 20,000નો જે લાભાર્થીનું મકાન સંપૂર્ણ પૂરું થયા પછી આપવામાં આવે છે.
લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો.
- અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી મંત્રી / સિટી તલાટી મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- તમારી સામે હોમ પેજ ખુલશે.
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
ઉપયોગી લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |