ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજના નબળાં વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સામાજિક અને આર્થિક સહાય યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજમાં નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે તે મુખ્ય હેતુ છે. કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય એમને પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.
મફત છત્રી સહાય યોજના 2022
Agriculture Cooperation Department, Government of Gujarat દ્વારા Horticultural Scheme ની યોજનાઓની ઓનલાઈન અરજીઓ સ્વીકરવાનું ચાલુ થયેલ છે. Bagayati Vibhaag દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી પદ્ધિતીઓ અપનાવતી હોય છે. જેને ધ્યાને રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલ છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર Online Arji કરવાની રહેશે.
મફત છત્રી સહાય યોજના- હાઇલાઇટ
યોજનાનું નામ | Mafat Chhatri Yojana Gujarat 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો ઉદ્દેશ | જે લાભાર્થીઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને, રોડ સાઈડ વેચાણકર્તા |
સહાય | મફત સાધન સહાય તરીકે છત્રી અથવા સેડ આપવામાં આવશે |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
એપ્લિકેશનનું માધ્યમ | Online |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/07/2022 સુધી |
મફત છત્રી સહાય યોજના નો હેતુ
રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રોડ સાઈડ પર વેચાણ કરતાં નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજના માટે નાના વેચાણકારોને ikhedut online registration કરવાનું રહેશે.
મફત છત્રી સહાય યોજનાની પાત્રતા
Bagayati Yojana Gujarat દ્વારા નાના વેચાણકારોને મફત સાધન સહાય આપવામાં આવશે. જેના માટે બાગાયતી વિભાગ દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.
- ગુજરાત રાજ્યનો લાભાર્થી હોવો જોઈએ.
- ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને મળશે.
- ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
- લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે.
- નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
- જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો Mafat Chhatri Yojana નો લાભ મળશે.
મફત છત્રી સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
બાગાયતિ વિભાગ દ્વારા ચાલતી યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે. જેમાં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે. જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને Mafat Chhatri Yojana 2022 યોજના હેઠળ વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવાપાત્ર થશે.
- મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે.
- પુખ્યવયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે.
મફત છત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો
આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. મફત છત્રીનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- આધારકાર્ડની નકલ
- ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
- જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
મફત છત્રી યોજના- ઓનલાઈન આવેદન પ્રક્રિયા
Ikhedut Portal પર Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે Online Form ભરવાનું રહેશે. રાજ્યના નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. જો લાભાર્થીને ઓનલાઈન એપ્લિકેશન કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા જાતે પણ કરી શકે છે.
- સૌપ્રથમ લાભાર્થીએ પોતાના કોમ્પ્યુટર કે લેપટોપમાં Google Search ખોલવાનું રહેશે. જેમાં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
- “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજના બતાવશે.
- જેમાં હાલમાં(27/04/2022 ની સ્થિતિએ) ક્રમ નંબર—71 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” બતાવશે હશે.
- જેના પર ક્લિક કરીને આગળ નવું પેજ ખોલવાનું રહેશે.
- આગલ પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- હવે “મફત છત્રી યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં લાભાર્થી ખેડૂતે પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
ઓનલાઈન અરજી બાદ અરજદારે શું કરવું ?
- લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ikhedut portal Print લેવાની રહેશે.
- આ પ્રિન્ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરવાની રહેશે.
- અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
- લાભાર્થી દ્વારા મળેલ Mafat Chhatri Yojana ની એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ બાગાયતી વિભાગ દ્વારા લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજુરી આપવામાં આવશે.
- Free Umbrella Scheme માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
Ikhedut Portal Website | Click Here |
Mafat Chhatri Application Status | Check Status |
HomePage | Click Here |