Advertisements
Khedut Mobile Phone Sahay Yojana 2022 | ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના 2022 : ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ના વિકાસ અને તેઓનાં હિત માટે ઘણાં પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા અમલ મા મુકેલ છે. જેનાથી ખેડુતો નો ઘણો આર્થિક તેમજ સામાજિક વિકાસ થાય છે. જેમાંની Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2022 દ્વારા ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર ની ડિજીટલ સેવા નો લાભ લઇ શકે છે. સરકાર ના કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર મંત્રાલય દ્વારા ખેડુતો નાં હિત માટે ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.
યોજનાઓ સરકાર ના Online Portal ikhedut પર આપ સરળતાથી બધી યોજનો જોઈ શકો છો અને ત્યાંથીજ તે યોજનાઓ ના Online ફોર્મ ભરી શકો છો. જેમાં ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલન ની યોજનાઓ, બાગાયતી ખેતી ની યોજના, ખેડુતો ને ખેતીના સાધનો ની યોજનાઓ જેવી ઘણી યોજનાઓ છે. જેમાં વધુ એક આ યોજના Khedut Mobile Phone Sahay Yojana Gujarat દ્વારા ખેડુતો ને જો તેઓ મોબાઈલ ફોન ખરીદે તો સરકાર તરફ થી તેઓ ને સહાય આપવામા આવશે.આ યોજના ની જાહેરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવેલ હતી.
ખેડુત મોબાઇલ ફોન સહાય યોજના
આ યોજના માં આપડા દેશ ના ખેડૂતો ને ટેકનોલોજી ના ક્ષેત્ર માં આગળ લાવવા માટે નો સરકાર નો પ્રયાસ છે. આજકાલ જમાનો ડિજીટલ થતો જાઈ છે જેમાં બધાજ કામો ડિજીટલી થતાં જાઈ છે તેથી ખેડૂતો તેમના સરકારી કામો ડિજિટલી કરી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે. સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમના ફોર્મ Online હોઈ છે તેથી હવે ખેડૂતો ને પણ ડિજિટલ દુનિયા માં પગ માંડવો પડશે.
ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે.
ખેડુત મોબાઇલ ફોન સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | ખેડુત મોબાઇલ ફોન સહાય યોજના |
મળવાપાત્ર સહાય | ખેડૂતોને 15000 સુધીના મોબાઇલ ફોન ની ખરીદી પર 40 % ની સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ડિજીટલ સેવા નો લાભ મેળવી શકે |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ખેડુત મોબાઇલ ફોન સહાય યોજના માટેની પાત્રતા
- આપડા દેશ ના ખેડૂતો ને જો તેઓ Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોઈ તો નીચે મુજબ ની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે.
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજયના વતની હોવા જરૂરી છે.
- જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.
- ખેડૂત પાસે તેની માલિકી ની જમીન હોવી ફરજિયાત છે.
- જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.
- અગર જો ખેડૂત એક કરતાં વધારે ખાતેદાર હોઈ તો પણ તેઓ ને આ યોજના નો લાભ ફક્ત એકજ વાર મળવાપાત્ર રહેશે.
- આ યોજના માં જો ખેડૂત Smartphone ખરીદે તો તેઓ ને ફક્ત Smartphone માટે જ સહાય મલશે બાકી મોબાઈલ ની બીજી કોઈ એસેસરીઝ માટે સહાય મળશે નાય જેમ કે ઇયરફોન, મોબાઈલ કવર, બેટરી બેકઅપ વગેરે પોતાના ખર્ચે ખરીદવું પડશે.
ખેડુત મોબાઇલ ફોન સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો
ગુજરાત સરકાર ખેડૂત ને આગળ લાવવા માટે હંમેશા તત્પર રહે છે.જેમાં આ ખેડૂત મોબાઇલ સહાય યોજના દ્વારા ખેડૂત ને ડિજીટલ સેવા દ્વ્રારા તેઓ ના બધા ખેતી વિષયક પ્રશ્નો ને વાચા મળશે.આ યોજના ગુજરાત ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવા પડશે.અને લાભાર્થી એ ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે અને આ બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.
- ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલ
- ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
- ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ
- ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
- જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
- મોબાઈલ ફોન નું IMEI Number
ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના મેળવવા માટે ના અગત્ય નાં નિયમો
- આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ નીચે મુજબ ના જરૂરી નિયમો પાળવાના રહેશે.
- ખેડૂતમિત્ર એ આ યોજના નો લાભ મેળવવા માટે સૌપ્રથમ ilhedut Portal પર Online અરજી કરવાની રહેશે.પછી અરજી ની પ્રિન્ટ કાઢી ને તેની જોડે બધા આધાર પુરાવા જોડી ને ગ્રામ સેવક ને અરજી આપવાની રહેશે
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા કક્ષા એ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મજૂરી અપવામાં આવશે.જેમાં આપની અરજી જો મંજૂર થઈ જશે તો લાભાર્થી ને SMS કે Email દ્વારા જાણ કરવામા આવશે.
- જો આપની અરજી મંજૂર થઈ જાય તો લાભાર્થી એ અરજી મંજૂર થાય ના દિન 15 માં મોબાઈલ ફોન ખરીદવો જરૂરી છે.
- પછી જો નક્કી કરેલા સમય મુજબ મોબાઈલ ફોન ની ખરીદી થઈ જાય તો લાભાર્થી ખેડૂત a અરજી પત્રક માં પોતાની સહી કરવાની રહેશે.
- સહી કરેલ અને પૂરેપૂરું ભરેલ અરજી પત્રક સાથે લાભાર્થી ખેડૂત ના બધા જ આધાર પુરાવા ન કાગળો જોડી ને તેઓ ના વિસ્તરણ અધિકારી અથવા ગ્રામ સેવક પાસે અરજી ફોર્મ જમાં કરાવવાનું રહશે.
- આ યોજના અમલ મા આવે પછી નિયત સમય માં મોબાઈલ નું બિલ રજૂ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
HomePage | Click Here |