Advertisements
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ- હાઇલાઇટ્સ
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 10/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ પ્રશ્ન બેંક
ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.
School Quiz Bank NO. 1 થી 123
- કૃષિ સંદર્ભે PSS યોજનાનું પૂરું નામ શું છે ?
- ભારતની લગભગ કેટલા ટકા જનસંખ્યા ખેતી ઉપર આધારિત છે ?
- ગુજરાત સરકારે ખેતરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિને અમલમાં મૂકી છે ?
- કૃષિ સંદર્ભે SCRનું પૂરું નામ શું છે ?
- કૃષિના સંબંધમાં જીવંત સ્ટોક ઉત્પાદન એટલે શેનું ઉત્પાદન?
- હર્બીસાઈડ શું મારે છે?
- નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ થઈ?
- પીએમ ઇ-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે?
- સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
- કેન્દ્રીય કેબિનેટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ક્યારે મંજૂરી આપી?
- ગુજરાત સરકારની મધ્યાહ્નભોજન યોજનાનો લાભ કોને મળે છે ?
- ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
- આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
- ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
- માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
- કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
- GUVNLનું પૂરું નામ શું છે ?
- GEDAનું પૂરું નામ શું છે ?
- પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
- ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?
- પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે?
- ઊર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ‘ કોણે શરૂ કર્યો?
- GSTનું પૂરું નામ શું છે ?
- DBTનું પૂરું નામ શું છે ?
- જુલાઈ, 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
- VATનું પૂરું નામ શું છે ?
- ઉદ્યોગ ભવન’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
- PHHનું પૂરું નામ શું છે ?
- હોસ્પિટલમાં દાખલ થયેલ અનાજની જરૂરિયાતવાળા દર્દીને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યની શાળા તેમજ કૉલેજમાં ભણતાં બાળકોને ગ્રાહકજાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે ?
- રાણકી વાવ કોની યાદમાં બંધાવવામાં આવી હતી ?
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી કયા નામે ઉજવવામાં આવી ?
- ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફત કરવાની હોય છે ?
- કોની 140મી જયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 31મી ઓક્ટોબર, 2015ના રોજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જાહેરાત કરવામાં આવી હતી ?
- ગુજરાતના હેરિટેજ અને ફરવાલાયક સ્થળોનો ગ્રાઉન્ડ રીપોર્ટ રજૂ કરવા ‘ETV Bharat’ દ્વારા કઈ સીરીઝ પબ્લિશ કરાઈ હતી ?
- જ્યોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
- વિશ્વ વન દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
- ‘હરિહર વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- જાનકી વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
- ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
- હિંગોલગઢ વન્યજીવ અભયારણ્ય કઈ મુખ્ય પ્રજાતિઓ માટે જાણીતું છે ?
- ગુજરાતમાં સૌથી વધુ ફૂલોની વિવિધતા ધરાવતા બરડા વન્યજીવ અભયારણ્યમાં છોડની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે ?
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું ?
- પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં ભારતીય નાગરિક પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે ?
- ભારત સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સભ્ય ક્યારે બન્યું ?
- ઇન્ફોસિસ કંપનીના સ્થાપક કોણ છે ?
- SRPFનું પૂરું નામ શું છે?
- આરોગ્ય કેન્દ્રો પર કોવિડ-19ની રસી લેવા માટે કોને પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી ?
- NRHM નું પૂરું નામ આપો.
- વિશ્વ હ્રદય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- કોવિડ -19 દરમિયાન કયા દેશમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું ?
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના વિકાસ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- ભુજંગાસન એટલે શું ?
- ગુજરાતના કયા શહેરમાં એઇમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવી છે ?
- 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે કોણે જાહેર કર્યો ?
- ‘મા’ (MAA: Mothers’ Absolute Affection) યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
- ચેપી રોગ ધરાવનાર વ્યક્તિને અન્ય લોકોથી દૂર રાખવાના સમયગાળાને શું કહે છે ?
- વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે ?
- નીચેમાંથી કઈ બેંક મુખ્યત્વે MSME (માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
- કયા કેન્દ્રીય મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
- ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે કોણ અરજી કરી શકે છે ?
- MSMEs (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) અંતર્ગત ઉત્પાદનના પ્રમાણપત્રના સંદર્ભમાં ZEDનો અર્થ શું છે?
- PCPIR, પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ રીતે નિર્ધારિત રોકાણ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે?
- જરીના કામમાં નિષ્ણાત કારીગર મુદ્રા લોનની કઈ શ્રેણી હેઠળ પોતાનું ઉદ્યોગ-સાહસ સ્થાપવા માટે અરજી કરી શકે છે?
- સમર્થ યોજના અંતર્ગત SCBTSનું પૂરું નામ શું છે?
- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાનો હેતુ શો છે ?
- મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
- બે વર્ષમાં પરપ્રાંતિય કામદારોને વતનમાં પરત જવા માટે કેટલી વખત નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
- ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી મહિલાને પ્રસુતિ સમયે સહાય આપવા માટે કઈ યોજના છે ?
- ગુજરાત સરકારની સ્પર્ધાત્મક તાલીમ યોજના અંતર્ગત બી. પી. એલ. કાર્ડધારક શ્રમયોગીનાં બાળકોને સ્પર્ધાત્મક તાલીમ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
- ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ મળે એ હેતુથી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
- ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના હાલના માનનીય મંત્રીશ્રી કોણ છે ?
- ધનવંતરી રથ કઈ જગ્યાએ વિનામૂલ્યે તબીબી સારવાર કરે છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ કયા કામદાર જૂથને ફાયદો થયો છે ?
- ગુજરાતમાં રોજગારીની જાણકારી માટે બેરોજગારો કયા પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ?
- ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ ફાયદો મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જરૂરી છે ?
- ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લાઓના ભાગોમાંથી કરવામાં આવી હતી?
- ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે?
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેટલો હતો?
- ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું ?
- ATVT નો અર્થ શું છે
- સમગ્ર ગુજરાતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
- જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યું ?
- કઈ નદીને ‘ગુજરાતની જીવાદોરી‘ તરીકે ઓળખવામાં આવે છે ?
- ‘સૉરો ઑફ બિહાર’ તરીકે કઈ નદી જાણીતી છે ?
- જૈવિક સંશાધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે ?
- PMAY-Gનું પૂરું નામ શું છે?
- કઈ યોજના ગરીબોના આવાસની જરૂરિયાત પૂરી કરે છે?
- મિશન અંત્યોદય કયા સ્તરે કામ કરે છે?
- પંચાયત અને ગ્રામીણ વિકાસનાં સંદર્ભમાં RGSAનું પૂરું નામ શું છે?
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
- PM -KISAN સમ્માન નિધિમાં જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને રૂ. 6,000 પ્રતિ વર્ષ કેટલા હપ્તામાં આપવામાં આવશે?
- દેશના ગ્રામીણ ખેડૂતો માટે દૂધની વધતી માંગને પૂર્ણ કરવા અને ડેરીનો નફો વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
- ત્રિ-સ્તરીય પંચાયતોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કોના પર નિયંત્રણ હોય છે ?
- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે?
- સાયન્સ સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
- નીચેનામાંથી કયું સ્થળ આનર્તપુર તરીકે ઓળખાતું હતું અને આનંદપુર તરીકે પણ જાણીતું હતું ?
- કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
- પોર્ટ આધુનિકીકરણ, પોર્ટ કનેક્ટિવિટી, પોર્ટ લેડ ઔદ્યોગિકીકરણ, કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ – કયા પ્રોજેક્ટના ચાર સ્તંભ છે?
- માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને માર્ગ સલામતી નીતિના અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના લાગુ કરવા સરકાર દ્વારા કઈ સમર્પિત એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
- દાંડીકુટિર ક્યાં આવેલ છે ?
- AITP નું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજના’ કોણે શરૂ કરી ?
- PMAY–G નું પૂરું નામ શું છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ મેટ્રો રેલ ક્યાં શરૂ કરવામાં આવી છે ?
- ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ કયો છે ?
- બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
- STIP 2020 યોજના કયા ક્ષેત્રો સાથે સંબંધિત છે?
- બાળકોના લિંગની ગણતરીના સંદર્ભમાં CSRનું પૂરું નામ શું છે?
- પ્રધાનમંત્રીની e-VIDYA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કયો છે ?
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં નોંધણી કરાવવાની ઉંમર કેટલી છે?
- અનુસૂચિત જનજાતિનાં કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
- ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
- કયા દિવસને ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
- ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
- કઈ યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓમાં બચતને પ્રોત્સાહન આપવાનો છે ?
- વર્કિંગ વિમેન હોસ્ટેલ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
- બહેનો માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ચલાવવા માટે કઈ યોજના અમલમાં આવેલ છે ?
- સગર્ભા મહિલાઓને પોષણયુક્ત ખોરાક તેમજ પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ મળી રહે તે કઈ યોજનાનો મુખ્ય ઉદેશ છે ?
- જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
- આયર્નની ગોળીઓ તથા આયર્ન સિરપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
Collage Quiz Bank NO. 1 થી 123
- ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
- કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (PMKSY)માં કઈ સિંચાઈપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
- ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
- સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવેલ છે ?
- ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી ઉપર બેરેજ બનવાનો છે ?
- RUSAનું પૂરું નામ શું છે ?
- લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેની તાલીમ આપતી યોજના કઈ છે ?
- શિક્ષકના પ્રશિક્ષણની માન્યતાની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
- વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે ?
- રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શાળાશિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ?
- શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા કયા દિવસે STARS પ્રૉજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?
- કુટિર જ્યોતિ યોજનાનો હેતુ શો છે ?
- UDAYનું પૂરું નામ શું છે ?
- કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે ?
- નાના અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જાનો કયો સ્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે ?
- ગુજરાતમાં હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટથી સૌર ઊર્જાક્ષેત્રે કયા લાભ થશે ?
- i-Create EV સેન્ટર ઑફ એક્સલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
- PMJDYનું પૂરું નામ શું છે ?
- આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 C હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે ?
- સેવાઓના કરપાત્ર સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં શહેરી વિસ્તારના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
- માનવકલ્યાણ યોજના કોને વધારાનાં સાધનો/ઉપકરણો પૂરાં પાડે છે ?
- ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (2013) કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
- ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક અનામતનો લાભ મેળવવામાં અગ્રતા ધરાવતાં કુટુંબોની ઓળખ માટેનાં ધોરણો કયાં છે ?
- કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો ?
- આદિવાસી લોકો માટેનો ચિત્ર-વિચિત્ર મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
- વતનપ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે ક્યા યુનિટની રચના કરવામાં આવી છે ?
- સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (2018) મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે ?
- વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલાં રોપાં વિનામૂલ્યે આપવામાં આવે છે ?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ઉછરેલાં વૃક્ષો ઉપર કોનો સંપૂર્ણ હક્ક રહે છે ?
- આદિવાસીઓ દ્વારા વૃક્ષખેતી યોજના અંતર્ગત 80% રોપાં કયા વૃક્ષનાં વાવવાનાં થાય છે ?
- ભારતમાં ભારતીય વનસેવાની સ્થાપના ક્યારે થઈ ?
- સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
- કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે ?
- પાવક વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- કયા ‘વન’માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ?
- પ્રદૂષણનિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે ?
- વન વિભાગની ઇવેલ્યુએટર એન્ડ મોટીવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- ભારત સરકારે શારીરિક વિકલાંગતાના પ્રકાર વધારીને કેટલા કર્યા છે ?
- ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
- ઉપરકોટ કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ?
- કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે ?
- વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે ?
- કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવેલ છે?
- ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન‘ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
- LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
- તાજેતરમાં શરૂ થયેલા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચએસએમસી)નો હેતુ શો છે ?
- PMNDPનું પૂરું નામ શું છે ?
- કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે ?
- ARSHનું પૂરું નામ શું છે ?
- ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી ?
- ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
- ભારતની એડવાન્સ્ડ ઓટોમોટિવ પ્રૉડક્ટ્સ ટેક્નોલોજી (AAT) અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ?
- સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
- ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે ?
- સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
- નેશનલ એસસી/એસટી હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે ?
- શ્રમયોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઉપલબ્ધ છે ?
- ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના‘નો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
- પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ઠી સહાય યોજના શું પ્રદાન કરે છે ?
- ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
- વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે C.A.ના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી ?
- આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ શું છે ?
- ભારતના નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે ?
- ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના દ્વારા પ્રતિબંધિત છે ?
- ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે ?
- વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે ?
- PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund મંડળના અધ્યક્ષ કોણ છે ?
- નીચેના ઉધાર લેનારાઓમાંથી PMMY હેઠળ MUDRA લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે છે ?
- રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે ?
- ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે?
- કયા રાજ્યને ભારતનું પ્રથમ ‘હર ઘર જલ’ રાજ્ય માનવામાં આવે છે ?
- ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે ?
- ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રૉજેક્ટની શરૂઆત ક્યારે કરી ?
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
- સરદાર સરોવર ડેમ કયા પ્રૉજેક્ટનો ભાગ છે ?
- સરદાર સરોવર પ્રૉજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
- ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે?
- ઇ- ગવર્નન્સ અને નાગરિક સેવાઓ, એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે?
- પાલાર પાણી શું છે ?
- મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા રાજ્યમાં કરવામાં આવી છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ. 12000ની વધારાની સહાયતા ક્યા મિશન હેઠળ આપવામાં આવી છે ?
- ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવેલ છે ?
- પંચાયતમાં સભ્ય પદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
- ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકીકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે ?
- પ્રતિ KWH બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે ?
- અમદાવાદ મેટ્રોનું બાંધકામ ક્યા વર્ષમાં શરૂ થયું ?
- ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે?
- યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું ?
- ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
- ઝોજિલા ટનલ ભારતના કયાં બે સ્થળો વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે ?
- ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો છે ?
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની ક્ષમતા કેટલી છે ?
- ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે ?
- નીચેનામાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી ?
- અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલ સ્ટેશન હશે?
- ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે ?
- માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે ?
- બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
- પ્રધાનમંત્રી જનધન યોજનાના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ?
- કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે ?
- કોવિડ-19 રોગચાળા દરમિયાન e-VIDYA યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શું શરૂ કરવામાં આવ્યું હતું ?
- અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
- અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ અભ્યાસક્રમ અને પીએચ.ડી.માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે ?
- શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે ?
- ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામવિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
- ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
- છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એકસાથે એક છત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ જણાવો.
- સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
- ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે ?
- વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કોના દ્વારા કાર્યરત છે?
- બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
- કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર પરિપત્ર વાંચો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | Click Here |
HomePage | Click Here |