રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.ઘરઘંટી સહાય યોજના લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કેટલી સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ઘરઘંટી સહાય યોજના 2023
યોજનાનું નામ | ઘરઘંટી સહાય યોજના |
વિભાગનું નામ | ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ |
લાભાર્થી | ગુજરાતના નાગરિક |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
યોજના શરૂ થયાની તારીખ | 01 એપ્રિલ, 2023 |
ઘરઘંટી સહાય યોજના મુખ્ય હેતુ
રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.
ઘરઘંટી સહાય યોજના જુઓ મુખ્ય લાભ
- માનવ કલ્યાણ યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા પછાત અને નબળા વર્ગના લોકોને ધંધા રોજગાર મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.જેનાથી તેઓ નવી વ્યવસાય ચાલુ કરી ને રોજગાર મેળવી શકે છે.
- ઘરઘંટી સહાય યોજના દ્વારા અનાજ દળવાનો વ્યવસાય કરવા માંગતા લોકોને ઘરઘંટી માટે 15,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ યોજના ની ઓનલાઈન અરજી માટે એ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. એટલે ઘરઘંટી ની સહાય લાભાર્થીઓને મળી રહે છે અને તેઓ પોતાનો વ્યવસાય ચાલુ કરીને પોતાના અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.
ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી પાત્રતા
- આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાની ઉમર ૧૬ વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેમની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમણે વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર રૂપિયા
- આ યોજનો લાભ લેવા માટે સુધીની હોવી જોઈએ અને તાલુકા મામલતદાર અથવા નગર પાલિકા ચીફ ઓફિસર અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
- આ યોજનોનો મુખ્ય હેતુ દેશની આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ આ યોજના કરવામાં આવેલી છે.
- આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ યોજનાનો લાભ લઇ શકે છે.
ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
અરજી કેવી રીતે કરવી ?
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે.
- જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘરઘંટી સહાય યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે
ઉપયોગી લિન્ક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |