Watch Repair Loan Yojana 2022 | ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના 2022 : બધાને નોકરી મળી જાય તે શક્ય છે ખરૂ ! આજે બધાને રોજગાર ન મળતાં બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને ઘડીયાળ રીપેરીંગ નો અનુભવ છે. ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજનાનો લાભ લઈ તમે Watch Repair Tools વસાવીને રીપેરીંગ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.
આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ઘડીયાળ રીપેરીંગ આવડતું હોય એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Watch Repair Tool Kit વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Watch Repairing Business કરી શકાય છે.
ઘડિયાળ રીપેરીંગ લોન સહાય યોજના
ઘડીયાળ રીપેરીંગ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ ઘડીયાળ રીપેરીંગ કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે. પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુંદર બનાવી શકે છે.
જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Watch Repair & Shop Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.
ઘડિયાળ રીપેરીંગ લોન સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | ઘડિયાળ રીપેરીંગ લોન સહાય યોજના |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો |
ઉદેશ | Watch Repair Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર | માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે |
લોનની રકમ | આ લોન યોજના હેઠળ 75,000 રૂપિયાની રકમ આપવામાં આવશે |
સત્તાવાર સાઈટ | adijatinigam.gujarat.gov.in/ |
ઘડિયાળ લોન યોજનાની પાત્રતા
Tribal Development Department Gujarat નિગમ દ્વારા Watch Repair Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.
- અરજદાર આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થીએ Diploma in Electronics નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
- લાભાર્થીએ જે ઘડીયાળ રીપેરીંગના હેતુના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- લાભાર્થીએ Watch Repairing ની રીપેરીંગ-કમ-સેલ સ્ટોરમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- લાભાર્થી પાસે ઘડીયાળ રીપેરીંગનો અનુભવ હોવો જોઇએ.
આ યોજના માટે મળવાપાત્ર ધિરાણ
Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Watch Repair Business માટે કુલ રૂપિયા 75,000/- સુધી લોન આપવામાં આવે છે.
ઘડિયાળ રીપેરીંગ લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો
ઘડીયાળ રીપેરીંગના હેતુ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
- લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 7,500/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.
ઘડિયાળ રીપેરીંગ માટે લીધેલ લોન પરત કરવાનો સમય
આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે
- અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
- અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
- અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી આધાર પુરાવા
આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Watch Repair Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તેવા લોકો માટે આ Loan Sarkari Nokri સમાન જ છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થી નું આધારકાર્ડ
- લાભાર્થી નું રેશનિંગ કાર્ડ
- લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
- લાભાર્થી નું તાલીમનું Certificate
- લાભાર્થી નાં બેંક ખાતા ની Passbook
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું )
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
- લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
- બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
- જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
- જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |