Your are blocked from seeing ads.

દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 2023 : આ યોજના હેઠળ ગામના બેરોજગાર યુવાનોને મળશે નોકરી

સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવે છે. સ્વરોજ ગારી મેળવવા માટે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે હાલમાં ચાલુ છે. જ્યારે મોટો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજના પણ હાલ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે, એક ઉંમર પછી નોકરી કે કોઈપણ કામ કરવું કેટલું જરૂરી છે. અને એ સમયે પણ કોઈ કામ ના મળે તો શું થાય ? માણસને ઘણી બધી નવી મુશ્કેલીનો સામનો કરવો પડે.

તમારી આ પરેશાનીનું સમાધાન Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana થકી દૂર થઈ શકે છે. પણ એનાં માટે તમારે આ યોજના વિશે પૂરતી માહિતી મેળવવી જરૂરી છે. અહીં નીચે આ જ આર્ટિકલમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની સંપૂર્ણ માહિતી આપેલ છે.

Your are blocked from seeing ads.

દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના 2023

આ યોજનામાં ગામડાંના બેરોજગાર યુવાનોને સરકારની મદદથી તેમની મનપસંદ કામની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં નાગરિકને સંપૂર્ણ તાલીમ બાદ પોતાનો ધંધો શરૂ કરવા અથવા તાલીમ અનુસાર નોકરી પણ શોધી આપવામાં આવશે. આ યોજના થકી દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાશે.

DDUGKY – હાઈલાઈટ્સ

પોસ્ટ નું નામ Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યગામના બેરોજગાર યુવાનોને તાલીમ અને નોકરી આપવી.
યોજનાની શરુઆત2014
યોજનાની શરુઆત કોણે કરીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ
યોજનાનું સ્ટેટસયોજના ચાલુ છે.
ઓફિશિયલ વેબસાઈટhttp://ddugky.gov.in

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર ની શું પાત્રતા હોવી જોઈએ. આ યોજનાનો લાભ કોણ લઈ શકશે તેની માહિતી અહિ નીચે આપેલ છે.

Your are blocked from seeing ads.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર ની ઉંમર 15 થી 35વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર હોય તો તે આ યોજના માટે અરજી કરી શકશે.

DDUGKY યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એજ ઉદ્દેશ્ય છે કે, દેશના જે ગ્રામીણ વર્ગના યુવાનોને રોજગારના અવસર નથી મળતા એવાં યુવાનોને પોતાની રુચિ મુજબની તાલીમ આપવામાં આવશે. જેથી યુવાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ યોજના થકી યુવાનોને તાલીમ પૂર્ણ થયા બાદ નોકરીના અવસર પણ આપવામાં આવશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ગ્રામીણ બેરોજગાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ યુવાનની રુચિ અનુસાર હશે.
  • તાલીમ પછી યુવાનોને નોકરી પણ મળશે.
  • આ યોજનાનો લાભ બધા યુવાનોને મળશે, જે બેરોજગાર છે.
  • તાલીમ મળવાથી યુવાનોમાં ઘણી બધી આવડત આવશે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે.
  • તાલીમ પૂરી થશે ત્યારે યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
  • બેરોજગાર યુવાનોને 200 જેટલી અલગ-અલગ કાર્યની તાલીમ આપવામાં આવશે.

DDUGKY યોજના માટે અરજી કઈ રીતે કરવી?

તમે પણ આ યોજના માટે પાત્ર હોય તો દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના માટે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે શું કરવું પ્રક્રિયા કેવી છે ? તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે આ યોજનાની Official Website http://ddugky.gov.in/ પર જવું પડશે.
  • ddugky Official Website
  • ત્યાં તમને હોમ પેજ પર Candidate ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં એક નવું પેજ ખુલી જશે તેમાં Apply Now ના બટન પર ક્લિક કરી દો.
  • DDUGKY Online Apply 2023
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલી જશે. તેમાં જરૂરી માહિતી ભરો અને જરૂરી માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યાર બાદ સબમિટના બટન પર ક્લિક કરી દો.
  • આ રીતે અરજદાર આ યોજના માટે અરજી કરી શકાશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here